Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ – બે કિશોરો ડૂબી જવાનાં બનાવ અંગે ભરૂચ જિલ્લા કોગ્રેસ સમિતિએ શોકની લાગણી વ્યક્ત કરી બિલ્ડરો સામે કાયદેસરના પગલાં ભરવાં માંગ કરતો આવેદનપત્ર પાઠવ્યું

Share

ભરૂચ શ્રવણચોકડી નજીક આવેલ ઉમરાજ ગામની સીમમાં આવેલ ખાડામાં ડૂબી જતાં બે કિશોરોનાં મોત નિપજ્યાં હતાં. આ અંગે ભરૂચ જિલ્લા કોગ્રેસ સમિતિ પ્રમુખ પરિમલસિહ રાણાએ દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમજ મૃતકોનાં સગાં-સંબંધીઓને સાંત્વના પાઠવી છે. આ સાથે ભરૂચ જિલ્લા કોગ્રેસ સમિતિના પરિમલસિંહ રાણાએ ભરૂચ જિલ્લા કલેક્ટર અને ભરૂચ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે આ કરૂણ બનાવ કુદરતી નથી પરંતુ બિલદેરની અને અન્યોની બેદરકારીના પગલે બે કિશોરો ગૌતમ ગોપાલ ઘીવાલા ઉમર વર્ષ 13 અને રાહુલ મનુ ઘીવાલા ઉમર વર્ષ 14 ના મોત નિપજ્યા છે. આવેદનપત્રમાં એમ પણ જણાવેલ છે કે માટીનુ ખોદકામ કરી વેચાણ કરવામાં આવ્યું હતું. પરિણામે ખાડો વધુ ઊંડો બન્યો હતો. જેના પગલે આ કરૂણ બનાવ બન્યો હતો. જો બિલ્ડરે સાવધાની અને સાવચેતીના પગલાં લીધાં હોત તો આ બનાવ બન્યો ન હોત તેથીજ કસૂરવારો સામે પોલીસ કેસ કરી કાયદેસરના કડક પગલાં ભરવાં માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

બિહાર હિંસા : દરભંગામાં પથ્થરમારાની વચ્ચે ફસાઈ સ્કૂલ બસ, રડતા બાળકોનો વીડિયો થયો વાયરલ.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ ઓવરબ્રિજ ઉપર કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત…

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના ડેમોના પાવર સ્ટેશનો સરું થતા નર્મદા ડેમની પાણીની આવક વધી. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!