સુરેન્દ્રનગર.
લીબડી શહેરમાં આવેલ છાલ્યા તળાવ ખાતે ચૈત્ર માસના દર વર્ષે સાતમનો એટલે કે ટાઢી સાતમનો મેળો ભરાય છે ત્યારે લોકો હજારોની સંખ્યામાં મેળાની મોજ માણવા ઉમટી પડ્યું હતું

શીતળા સાતમ નો દિવસ અને ચૈત્ર સાતેમ એટલે માંતા શીતળા નો દિવસ ગણવામાં આવે છે ત્યારે આજના દિવસે દરેક સમાજના લોકો ઠંડુ ભોજન કરે છે ચૂલો સળગાવતા નથી અને આજના દિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે આજના દિવસે લીબડી થી ત્રણ કિલોમીટર આવેલ છાલીયા તળાવ ખાતે શીતળા માતાનું મંદિર આવેલ છે ત્યાં દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે મેળવવામાં ગ્રામ્ય કક્ષાથી લઈ શહેરી કક્ષાના તમામ લોકો મેળાની મોજ માણતા હોય છે અને અલગ અલગ પ્રકારના રમકડા , નાના છોકરાઓ માટેની અલગ અલગ રાઈટ, અલગ અલગ પ્રકારની ખાણીપીણી તેમજ કટલેરી જેવા વગેરે વસ્તુઓનો વેપાર પણ અહીંયા જોવા મળી રહ્યો છે અને આજના દિવસે હિન્દુ સમાજ દ્વારા આ શિતળા સાતમની એટલે કે ટાઢી સાતમની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો હાઈવે ઉપર આવેલ મંદિર હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે પોલીસ સુરક્ષા દ્વારા આ ટ્રાફિકજામ ખુલ્લું કરાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી તેમજ મેળામાં પોલીસ દ્વારા કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો
