ભરૂચ.
ભરૂચ શહેર નંદેલાવ બ્રિજ પરથી એક દંપતી પસાર થઇ રહ્યું હતું. તે વેળાં એક લક્ઝરી ચાલકે તેમને ટક્કર મારતાં પાછળ બેસેલી પત્ની નીચે પટકાતા તેના પર બસનું ટાયર ફરી વળ્યું હતું. ગંભીર ઇજાઓને કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
Advertisement
જંબુસરના સંભા ગામે રહેતાં ગેમલસંગ ગોહિલના અંક્લેશ્વરના અંદાડા ગામે રહેતાં એક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોઇ તે તેમની પત્ની ગજેરા સાથે બાઇક પર અંદાડા ગામે ગયાં હતાં. લગ્ન પ્રસંગ પતાવીને તેઓ બાઇક પર ઘરે પરત જવા માટે નિકળ્યાં હતાં.દરમિયાનમાં નંદેલાવ બ્રીજ પરથી પસાર થતાં સમયે એક બસે તેમની બાઇકને પાછળથી ટક્કર મારતાં પાછળ બેસેલી તેમની પત્ની જમીન પર પટકાતાં બસના ટાયર નીચે આવી ગઇ હતી. ગંભીર ઇજાઓને કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
