Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આતંકી હુમલામાં શહિદ થયેલાં ૨૬ લોકોને આજે ન્યાય મળ્યો : ભરૂચવાસીઓ

Share

પાકિસ્તાન-પીઓકેમાં થયેલાં એરસ્ટ્રાઈકને મિઠાઈ વેચી વધાવી
। ભરૂચ ।
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કેટલાંક મુસ્લીમ બિરાદરોએ પાકિસ્તાન અને પીઓકેમાં રહેલાં આતંકીઓના અડ્ડા પર ભારતે રાત્રીના સમયે જે એરસ્ટ્રાઈક કરી હતી. તેને વધાવી લીધી હતી. ભારત દેશન ઝંડો લહેરાવી પહેલગામમાં બનેલી આતંકી ઘટનામાં ભારતે બદલો લીધો હોવાની ભાવના સાથે લોકોને મિઠાઈ ખવડાવીને એરસ્ટ્રાઈકને વધાવી લીધી હતી.
પહેલગામમાં આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ લોકોના પ્રાણ લીધાં હતાં. તે ઘટનાથી દેશભરમાં ભારે રોષ હતો. આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ મળે તેવી તમામ હિન્દુસ્તાનીઓની ભાવના હતી. ગત રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકે ખાતે આવેલાં આતંકીઓના ૯ અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરીને તેમનો સફાયો કર્યો છે. પહેલગામમાં શહિદ થયેલાં ૨૬ નિર્દોષોને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલી. ન્યાય મળ્યો છે. ભારતીય સેનાએ જે બદલો લીધો છે તેને સમસ્ત મુસ્લીમ સમાજ તેમજ દેશના ૧૪૦ કરોડ દેશવાશીઓ આવકારે છે તેમ મુસ્લીમ આગેવાન અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત ૧૦૦ આતંકીઓને ઠાર કર્યા છે. ત્યારે ભારત સરકાર અને ભારતીય સેનાની આ કાર્યવાહીને દેશના દરેક નાગરિકનું સમર્થન છે. ૨૬ નિર્દોષ નાગરિકો શહિથ થયાંની ઘટના બાદ દેશભરમાં ગુસ્સો હતો. ત્યારે ભારતીય સેનાની આ સાહસથી ભરેલી કામગીરીથી તેમને ન્યાય મળ્યો છે. આતંકીઓ સામેની લડતમાં સરકાર અને દેશની જનતા ભારતીય સેનાની સાથે જ છે.


Share

Related posts

નડિયાદ પાસે બંધ પોલ્ટ્રી ફોર્મમાં પોલીસે દરોડો પાડી ૨૫.૧૮ લાખનો દારૂ જપ્ત કર્યો.

ProudOfGujarat

જૂનાગઢના ઝૂના ડાયરેક્ટર કહ્યું USથી મંગાવેલી આ રસી બીમાર સિંહોને અસર નહીં કરે

ProudOfGujarat

ઉમરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલની બિનહરીફ વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!