ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા સુચના આપવામાં આવી
। ભરૂચ ।
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસીએશને રાજયભરના દવાના વેપારીઓને તકેદારીના ભાગરૂપે પુરતા પ્રમાણમાં અને અંદાજે ૧ થી ૨ મહિનાનો વધારાનો સ્ટોક રાખવા સુચના આપી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની સ્થિતિ જેવુ વાતાવરણ સર્જાયું છે ત્યારે જો પુદ્ધ થાય તો આપાતકાલિન સમયમાં જરૂરી દવાઓ લોકોને મળી શકે તે માટે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા મહત્વનો નિર્ણય લઈને દરેક હોલસેલના વેપારીઓને બે મહિનાથી વધુ સમયનો સ્ટોક જાળવવા માટે તાકીદ કરી છે. આપાતકાલિન સ્થિતિમાં દેશની તબીબી અને આરોગ્ય સેવાઓ સતત ચાલુ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચ મેડીકલ એસોસીએશના પ્રમુખ ભરત શાહે જણાવ્યુ હતુ કે, ભરૂચ-નર્મદા જિલ્લામાં અંદાજે ૧ હજારથી વધુ મેડીકલ સ્ટોર અને હોલસેલર આવેલા છે તે તમામને આ બાબતની સુચના આપી દેવામાં આવી છે. ઉપરાંત દવાના મુખ્ય વિતરણ કેન્દ્રી સાથે સતત સંપર્કમાં રહીને દર્દીઓને વેળાસર સારવાર મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ છે.
