Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી બજાર યુવક મંડળ આયોજિત ગણપતિ મહોત્સવમાં કથાનું આયોજન

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન કથાનું આયોજન કરાય છે.ચાલુ સાલે ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.તા.૨-૯ નારોજ શોભાયાત્રા ની સાથે મહોત્સવ ની શરુઆત થશે.ગણપતિ ઉત્સવ અંતર્ગત દરરોજ બપોરે ગણપતિ દાદાનો થાળ તેમજ સવાર સાંજ આરતી થશે.તા.૪ થી ૧૦ દરમિયાન રોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કથા થશે.જેમાં ધર્મેશભાઇ જોષી વ્યાસ પીઠ પર બિરાજમાન થઇને શ્રધ્ધાળુઓ ને કથારસ નું પાન કરાવશે.૭ મી તારીખે સાંજે ૪ કલાકે રાજપારડી ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ને ઇનામ આપવામાં આવશે.દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવે છે.૧૧ મી તારીખે સવારે ૯ વાગ્યે સત્યનારાયણ ની કથા રાખવામાં આવી છે.અને ૧૧ વાગ્યે જાહેર ભંડારા નું આયોજન કરાયુ છે.૧૨ મી તારીખે સવારે ૧૦ વાગ્યે ગણપતિ દાદાના વરઘોડાનો કાર્યક્રમ યોજાશે.આમ રાજપારડી નગર ઉપરાંત પંથકના ગામોમાં ગણપતિ મહોત્સવ ની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરાશે.

Advertisement

Share

Related posts

પોલીસ ની ફરજ માં બુટલેગરો નો સાથી બન્યો, ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા આઠ બુટલેગરોની ધરપકડ,હેડ કોન્સ્ટેબલ પણ જેલ ભેગો થયો

ProudOfGujarat

CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, રાજ્યમાં પ્રથમ વખત યોજાશે નેશનલ ગેમ્સ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ને જોડતો અંકલેશ્વર રાજપીપલા ધોરીમાર્ગ બિસ્માર બનતા હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!