Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી બજાર યુવક મંડળ આયોજિત ગણપતિ મહોત્સવમાં કથાનું આયોજન

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન કથાનું આયોજન કરાય છે.ચાલુ સાલે ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.તા.૨-૯ નારોજ શોભાયાત્રા ની સાથે મહોત્સવ ની શરુઆત થશે.ગણપતિ ઉત્સવ અંતર્ગત દરરોજ બપોરે ગણપતિ દાદાનો થાળ તેમજ સવાર સાંજ આરતી થશે.તા.૪ થી ૧૦ દરમિયાન રોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કથા થશે.જેમાં ધર્મેશભાઇ જોષી વ્યાસ પીઠ પર બિરાજમાન થઇને શ્રધ્ધાળુઓ ને કથારસ નું પાન કરાવશે.૭ મી તારીખે સાંજે ૪ કલાકે રાજપારડી ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ને ઇનામ આપવામાં આવશે.દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવે છે.૧૧ મી તારીખે સવારે ૯ વાગ્યે સત્યનારાયણ ની કથા રાખવામાં આવી છે.અને ૧૧ વાગ્યે જાહેર ભંડારા નું આયોજન કરાયુ છે.૧૨ મી તારીખે સવારે ૧૦ વાગ્યે ગણપતિ દાદાના વરઘોડાનો કાર્યક્રમ યોજાશે.આમ રાજપારડી નગર ઉપરાંત પંથકના ગામોમાં ગણપતિ મહોત્સવ ની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરાશે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં વધી રહ્યો છે ક્રાઈમ રેટ: જુવો કઈ જગ્યાએ વધુ !!!

ProudOfGujarat

વલસાડ-ગણપતિના ફાળામાં રૂપિયા ન આપતા 4 શખ્સોએ એક યુવકને માર માર્યો-ફાળા માટે 1 હજાર રુપિયાની માંગણી હતી-યુવકે 1 હજારની જગ્યાએ 251 રુપિયા આપવાનુ કહેતા ઉશ્કેરાઈને માર માર્યો..

ProudOfGujarat

નડિયાદ : નમકીનની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!