Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે ફાયર મોકડ્રીલ યોજાઈ

Share

ભરૂચ.

અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે એકાએકા આકસ્મિક આગની ઘટના સર્જાતા તાલુકા વહીવટી તંત્રએ ભારે જહેમત બાદ ઘટના પર કાબુ મેળવ્યો હતો. ઈએસઆઈસી હોસ્પિટલમાં આગ લાગતાની સાથેજ તાત્કાલીક અસરથી સંબંધીત અધીકારીઓએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને વીવિધ વિભાગોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.

Advertisement

આગને કાબુમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી જયાં હંસાયેલા લોકોને સફળતાપુર્વક રેસ્કયુ કરીને બહાર લાવવામાં આવ્યા હતા અને બે લોકોને ઈજાથતા ટ્રોમા સેન્ટર ખાતે ખસેડાયા હતા. ડીપીએમસી ફાયરના જવાનોએ આગ લાગે ત્યારે સૌ પ્રથમ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવાની કામગીરી તેમજ આગ ઉપર કાબુ મેળવવા સહિતની કામગીરીની સમગ્ર પક્રિયા મોકડ્રીલમાં કરવામાં આવી હતી.

અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા ફાયર વિભાગ અને હોસ્પીટલનું પ્રશાસન કેટલું સજજ છે તે ચકાસવામાં આવ્યુ હતુ. અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, નોટિફાઈડ એરીયા ઓથોરીટીના ચીફ ઓફીસર ચિંતન પટેલ તેમજ ફાયર ઓફીસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા અને સુરક્ષા તેમજ સલામતીના પગલાની ચકાસણી કરી હતી. આ તકે મામલતદર કરણસિંહ રાજપૂત, જીઆઈડીસી પોલીસ અને ડીપીએમસી ફાયરના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચનાં પશ્ચિમ વિસ્તારમાં બિસ્માર માર્ગનાં કારણે વેપારીને નુકસાન…વેપારી મંડળ મેદાનમાં ઊતર્યું…

ProudOfGujarat

અંકલેશ્વર : આજે શીતળા સાતમ : મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કરી પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેની કામના કરી.

ProudOfGujarat

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નવસારી કૃષિ યુનિવર્સીટીની ૧૫ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!