મહિલાએ ૩.૨૦ લાખની હેરાફેરી કરી હતી. ૧.૩૦ લાખ પરત કર્યા હતાં
। ભરૂચ ।
સુરતના રામપરાખાતે સહેતાં મોહમંદ ઈરફાન મોહમંદ ઈકબાલ મુન્શી સુરતના નાનાવટી મોટર્સમાં એચઆર મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમના નાનાવટી મોટર્સની ભરૂચ હાઈવે પર વગુસણા ગામની સીમમાં પણ બાન્ય છે. જ્યાં તેઓ ટોયોટા કંપનીની ગાડીઓનું વેચાણ તેમજ સર્વિસ-રિપેરીંગ થાય છે. વર્ષ ૨૦૨૩માં કેશિયર તરીકે ફેબ્રુઆરી મહિનામાં તેમના ત્યાં ધ્વનિશા જૈમિશ જાધવ કેશિયર તરીકે નોકરીએ જોડાઈ હતી. અપ્રિલ મહિના સુધી તેમણે જૂના કેશિયર શૈલેષભાઈ પાસેથી તમામ કામ શિખ્યા બાદ ધ્વનિશાબેન જ તમામ કામ જાતે કરતી હતી.
દરમિયાનમાં ગત ડિસેમ્બર ૨૦૨૩માં તેમના ત્યાં ઓડિટ કરાતાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન કુલ ૫.૯૯ લાખ રૂપિયા ઓછા જમા થયાં હોવાનું જણાયું હતું. જે અંગે ધ્વનિશાબેનને ઠપકો આપતાં તેણે પોતાની ભુલ સ્વિકારીને તે તબક્કાવર રીતે તે રૂપિયા પરત કરી આપવાની ભાંહેધરી આપી હતી. દરમિયાનમાં ભરૂચની ઓડીટ ટીમે પણપુન: ચેકિંગ કરતાં ૨.૦૩ લાખની ત્રૂટિ જણાઈ હતી. જેથી તે બાદ કરતાં તેની પાસેથી ૩.૨૦ લાખ લેવાના થતાં હોઈ કંપનીએ તેની પાસેથી તે રુપિયાની માગણી કરતાં ધ્વનિયા બેને તેમને રુપિયા પરંત આપશે તેમ જણાવ્યું જે બાદ તેઓ તબક્કાવાર રીતે કુલ ૧.૨૦ લાખ પરત કર્યા હતાં. જોકે, બાકીના ૧.૯૦ લાખ પરત કરવામાં તેણે એક વર્ષથી વધુનો સમય વિતાવી દેવા સાથે હજી પણ રૂણિયા ચુકવ્યાં ન હતાં. જેના પગલે આખરે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે તેમણે ધ્વનિશા જાધવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
