Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરથી દેડિયાપાડા બસમાં મુસાફરી કરતા મુસાફરોની દયનિય હાલત.

Share

અંકલેશ્વરથી દેડિયાપાડા બસમા મુસાફરોની દયનિય હાલત જોવા મળે છે. આ બસમાં ખીચોખીચ મુસાફરો ભરેલી બસનું વરવું દ્રશ્ય તંત્ર માટે શરમ ઉપજાવે તેવું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર થી દેડિયાપાડા નાની બેડવાણ સુધી આવતી સાંજે ૬: ૫૦ વાગ્યાની બસમા કાયમ માટે મુસાફરોને ઘણી તકલીફ વેઠવી પડતી હોય છે. મુસાફરોને ઠેક સુધી ખડે પગે ઉભા ઉભા દેડિયાપાડા સુધી આવે છે. તો માર્ગ વિભાગના મંત્રી અને અધિકારીઓને મુસાફરો જણાવે છે કે આવનાર દિવસોમાં બીજી કોઈ બસની સુવિધા કરવી જોઈએ. આ બસમાં અપડાઉન કરતા નોકરિયાત કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો મુસાફરી કરતા હોય છે. પૈસા ખર્ચીને બે કલાક ઉભા રહેવાની શારીરિક સજા ભોગવતા મુસાફરોને તકલીફ ના વેઠવી પડે એ માટે આ રૂટ પર વધુ બસો મુકવાની માંગ ઉઠી છે. ઉભા ઉભા મુસાફરી કરતા લોકો માટે તંત્ર માટે આ શરમજનક ઘટના કહેવાય.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વલસાડ – પારડી વચ્ચે રેલવે વીજ કેબલ તૂટ્યો : મુંબઈ-સુરત રેલ વ્યવહાર ખોરવાયો:અનેક ટ્રેનો મોડી: મુસાફરો અટવાયા શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ સહિતની ગાડીઓ લેઇટ : વીજતારનું સમારકામ શરૂ

ProudOfGujarat

આઇ-ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજીઓ અંગે

ProudOfGujarat

ભરૂચ : ઝંઘાર ગામ ખાતે ખોદકામ કરાયેલ સ્થળે ભરાયેલ પાણીમાં યુવક નું ડૂબી જતાં મોત, લાશને જોવા લોક ટોળા જામ્યા…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!