ભરૂચ કુકરવાડા, મનુબાર ચોકડી,શેરપુરા ખાતે ચેકિંગ કરાયું
ભરૂચ.
જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ.૧૮ મે ૨૦૨૫ ના દિવસના ભરૂચ કુકરવાડા, મનુબાર ચોકડી, શેરપુરા ખાતે તા.જી.ભરૂચ ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૪ વાહનો ટ્રક નંબર-(૧) GJ-16-AV-6909 (2) GJ-16-AV-7184 (3) GJ-16-AW-0454 (४)GJ-16-AV-6534 (5) GJ-06-AU-8775 કુલ- ૧.૧૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવા સદન, ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. તેમ ભુસ્તરશાસ્ત્રી ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
Advertisement
