Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયખા જીઆઇડીસીમાં હિન્દ પ્રકાશ કેમિકલ કંપનીમાં વીજ કરંટ લાગતાં કામદારનું મોત

Share

ભરૂચ.
વાગરા તાલુકામાં આવેલાં સાયખા જીઆઇડીસીમાં આવેલી હિન્દ પ્રકાશ કેમિકલ નામની કંપનીમાં એક કામદારનું વીજ કરંટ લાગતાં મોત થયું હોવાની ઘટના બની હતી. બનાવને પગલે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઇડીસીમાં હિન્દ પ્રકાશ નામની કેમિકલ કંપની આવેલી છે. દરમિયાનમાં કંપનીના ગોડાઉન નંબર 2માં કામ કરવા માાટે જેસીબી આવી રહ્યું હતું. દરમિયાનમાં જેસીબી લોખંડની એક એગલલમાં અથડાતાં કંપનીમાં કામ કરતો લક્ષ્મણ ચૌહાણ તે એંગલો ખસેડવાનું કામ કરી રહ્યો હતો. તે વેળાં તેેને અચાનક વીજ કરંટ લાગતાં તેનું સંતુલન નહીં રહેતાં તે પડતાં તેનું માથું જેસીબીના પાછળના ભાગે આવેલાં નાના બકેટમાં ભટકાતાં તેને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઉપરાંત અન્ય એક કામદાર રામછબીલા રઘુનાથસિંહને પણ માથામાં ઇજાઓ થઇ હતી. બનાવને પગલે વાગરા પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ પાલિકાએ ૭૦ થી વધુ જર્જરીત મકાનોને ઉતારી લેવા નોટીસ ફટકારી

ProudOfGujarat

વડોદરામાં વકીલો ઉપર અમાનુષી લાઠીચાર્જ ની બનેલ ઘટના સંદર્ભ માં ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોસિએશન દ્વારા આજ રોજ કાર્યવાહી થી અલિપ્ત રહ્યા હતા ……..

ProudOfGujarat

લીંબડીની ૨૧ એસ.ટી બસો વિછીયા મોકલવાથી ૬૦ ટકા જેટલા રૂટો બંધ થતા વિદ્યાર્થીઓને અને મુસાફરોને હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!