સદનસીબે ઘટનામાં કોઈને જાન હાની નહીં
ભરૂચ.
Advertisement
ભરૂચ શહેરમાં આવેલા ભારતી ટોકીઝ ની સામે BSANL ની બાજુમાં આવેલા રોયલ એપાર્ટમેન્ટ ઇમારત છેલ્લા કેટલાય સમયથી જર્જરરીત થઈ ગઈ હોવા છતાં લોકો તેમાં વસવાટ કરે છે છાસવારે ઈમારતના અલગ અલગ સ્થળેથી જર્જરીત થઈ ગયેલો ભાગ ધરાશાહી થવાની ઘટના બનતી રહે છે દરમ્યાન રવિવારે સવારના સમયે ઇમારત પર લગાવવામાં આવેલા પતરા નો કોહવાઈ ગયેલો એક ભાગ તૂટી ને પડ્યો હતો પતરા નો ટુકડો નીચેથી પસાર થતાં વીજ લાઈન પર પડતા શોર્ટ સર્કિટ થતાં અંદાજે 30 40 ફૂટનો વીજ વાયર તૂટી પડ્યો હતો સબનસીબે ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી બનાવની જાણ કરાતા વીજ કંપનીના કર્મચારીઓએ તુરંત દોડી આવી ક્ષતી ગ્રસ્ત વાયર દૂર કરી વીજ પુરવઠો પુનઃ કાર્યન્વિત કર્યો હતો
