ભરૂચ
ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે ખેડૂતો વધુ આકર્ષિત થઈ રહ્યા છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટર – આત્મા પ્રોજેક્ટ ભરૂચ અંતર્ગત વિવિધ ગામોમાં યોજાતી તાલીમ શિબિરોમાં ખેડૂતો સક્રિય રીતે ભાગ લઇ રહ્યા છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર – આત્મા પ્રોજેક્ટ ભરૂચ દ્વારા ઝઘડિયા તાલુકાના દુ:વાઘપુરા, અંકલેશ્વર તાલુકાના સક્કરપોર, વાલિયા તાલુકાના પણસોલી, ભરૂચ તાલુકાના ખેડૂત તાલીમ કેન્દ્ર – ભરૂચ, આમોદ તાલુકા ખાતે તાલુકા પંચાયત – આમોદ અને જંબુસર તાલુકાના થાનવા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઇ હતી. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી હતી.
જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર – આત્મા પ્રોજેક્ટ ભરૂચ દ્નારા ખાસ કરીને પ્રાકૃતિક ખેતીનાં આયામો અને પાંચ સ્તરીય બાગાયત મોડેલ ઉપરાંત શાકભાજી પાકોનાં મિશ્રપાક મોડેલની વિસ્તૃત માહિતી આપવામાં આવી હત આ તાલીમો ખેડૂતોને રાસાયણિક ખાતર તથા જંતુનાશકોથી દૂર લઈ જઈ તેમને પર્યાવરણ સંરક્ષણ, ખર્ચાળ ખેતીથી દૂર થઈ આરોગ્યપ્રદ ખેતી પદ્ધતિઓ તરફ ઉન્મુખ થવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
આત્મા પ્રોજેકટનાં જે તે તાલુકાનાં બ્લોક ટેકનોલોજી મેનેજર, આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
