નાણાંકીય સમાવેશન 3 મહિનાનાં સંતૃપ્તિ અભિયાન અંતર્ગત આયોજન કરાયું
ભરૂચ
નાણાંકીય સમાવેશન 3 મહિનાનાં સંતૃપ્તિ અભિયાન 01/07/2025 થી 30/09/2025 અંતર્ગત નંદેલાવ ગામ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં દસ કે તેથી વધુ વર્ષ પહેલાં ખોલવામાં આવેલાં બચત ખાતા અને પ્રધાનમંત્રી જનધન યોજના ખાતામાં ફરીથી કેવાયસી કરાવવી તથા ડિજિટલ છેતરપિંડીથી કેવી રીતે બચવું, RBIમાં ટ્રાન્સફર થયેલા દાવા વગરની થાપણોનો દાવો કેવી રીતે કરવો, જનધન ખાતા ખોલવા,નોમિનેશન કરાવવું તથા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના વગેરે અંગેની કામગીરી કરવામાં આવી હતી.
