ભરૂચ.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એન.સી. પટેલ તથા તેમની ટીમ દ્વારા આજરોજ 31મી જૂલાઇના રોજ અનેક નાગરિકોના ગુમ થયેલા મોબાઇલ ફોન તેમને પરત કરવામાં આવ્યાં હતાં. જીઆઇડીસી વિસ્તારમાં અલગ અલગ સમયે ચોરી થયેલાં મોબાઇલ અંગે જેતે મોબાઇલ માલિકોએ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં પોલીસે ચોરી થયેલાં શોધી કાઢવા માટે ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં હતાં. દરમિ્યાનમાં પોલીસે અલગ અલગ રીતે તપાસ હાથ ધરતાં પોલીસે કુલ ૧૦ જેટલા મોબાઇલ ફોન શોધી કાઢ્યાં હતાં. જે બાદ સી.ઇ.આઈ.આર પોર્ટલ અને ટેક્નિકલ સહાયતા દ્વારા ટ્રેસ કરી તેમને પરત આપ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, ગુમ થયેલા મોબાઇલ ફોનની કિંમત અંદાજે રૂ. ૨,૩૪,૫૦૦/- જેટલી થાય છે. આ કામગીરીની પાછળ પોલીસની ટેક્નિકલ ટીમ તેમજ સાઇબર ક્રાઇમ વિભાગે મહત્વનો રોલ નિભાવ્યો છે.
