રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત શિક્ષણને મહત્વ પ્રદાન કરવા, તમામ શાળાઓ, મહાવિદ્યાલયો, જન સામાન્યમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તેમજ પ્રચાર-પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા વિવિધ “પાંચ યોજના” ઓની રચના કરેલ છે. જે અંતર્ગત એક વિશેષ યોજના “ સંસ્કૃત સપ્તાહ યોજના અન્વયે ત્રિદિવસીય ઉજવણી તા.૦૬/૦૮/૨૦૨૫ બુધવારથી તા.૦૮/૦૮/૨૦૨૫ શુક્રવાર દરમિયાન કલેકટર કચેરી, ભરૂચ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
કાર્યક્રમ તારીખવાર આયોજન કરેલ બાબતોની માહિતી :-
(૧) તા.૦૬/૦૮/૨૦૨૫ ને બુધવારના રોજ “સંસ્કૃત ગૌરવ યાત્રા” ઉજવણી કાર્યક્રમ
સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન સવારના ૦૮:૦૦ કલાકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, ભરૂચથી કલા મંદિર, શક્તિનાથ સર્કલથઈ જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માનવ મેદની સાથે પવિત્ર, સંગીતમય સંસ્કૃતમય વાતાવરણ સાથે ગૌરવભેર યાત્રાનું કલેકટર કચેરી સમાપન કરવાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં
– ટેબ્લો દ્વારા સંસ્કૃત ભાષાના પ્રાચાર-પ્રસાર બાબતે વિવિધ સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલ વેદો, ઋષિમુનીઓ, સંસ્કૃતના વિદ્વાન કવિ, લેખકો, ઉપનિષદો, પુરાણો, અરણ્યો, મંત્રશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્રને લગતું સાહિત્ય વગેરની વિવિધ ચિત્રો, બેનરો દ્વારા તેમજ વેશભૂષા દ્વારા સમજ સમજ આપવામાં આવશે.
– વેદો, સંસ્કૃતના મંત્રોચ્ચાર સાથે આંમણત્રિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી, સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.
– પદયાત્રા દરમ્યાન સંસ્કૃતના શ્લોકો, નર્મદા સ્તુતિ, ભવાની અષ્ટકમ, વેદોચ્ચાર, ગરબા સાથે સંસ્કૃત ભાષાના ગૌરવ, સંરક્ષણ, સંવર્ધનનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
– ગૌરવ યાત્રાની પૂર્ણાહૂતિ પહેલા, યાત્રામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને, શાળાને મહાનુભવોના વરદ હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.
(૨) તા.૦૭/૦૮/૨૦૨૫ ગુરુવારના રોજ સંભાષણદિન ઉજવણી કાર્યક્રમ
ભરૂચ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તમામ શાળાઓમાં સંસ્કૃત સંભાષણની ઉજવની અન્વયે સંસ્કૃત ભાષાનાવિધવાનોને આંમત્રિત કરી સંસ્કૃત ભાષાના મહત્વને જન સમુદાય સુધી સંદેશો આપવામાં આવશે.
– તમામ શાળાઓમાં પ્રાર્થના સમારંભ સંસ્કૃતમા કરવો. વ્યક્તિગત, સમૂહમાં સંસ્કૃત ગીત, સુભાષિતોનું સસ્વર ગાન કરાવવામાં આવશે.
– એક મિનિટ સ્પર્ધા,પ્રશ્નોત્તરી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વેશભૂષા સાથે નાટયાત્મક રજૂઆત, એકપાત્રીય અભિનય વગેરે પ્રવૃત્તિઓ કરી સંસ્કૃત ભાષાનું મહત્વ, ગૌરવ, પ્રચાર-પ્રસાર કરવાનું આયોજનકરવામાં આવેલ છે.
– તમામ પ્રવૃત્તિઓનો નાનો વિડીયોક્લીપ બનાવી વેબસાઈટ પર મૂકવામાં આવશે.
(૩) તા.૦૮-૦૮-૨૦૨૫ સંસ્કૃત સાહિત્યદિન ઉજવણી કાર્યક્રમ
સંસ્કૃત સાહિત્યદિન ઉજવણી કાર્યક્રમમાતરીયા તળાવ, શ્રવણ ચોકડી, ભરૂચ ખાતે બપોરના ૦૪: ૦૦ કલાકથી ૦૬:૦૦ કલાક દરમિયાન સંસ્કૃત સાહિત્યના પ્રચાર- પ્રસાર અર્થે દબદબાભેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં
– કાર્યક્રમનો પ્રારંભ સંસ્કૃતના વેદોચ્ચાર સાથે મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવશે.
– વિવિધ વેદો, સંસ્કૃત સાહિત્યના પુસ્તકો, કવિ, લેખકો વગેરેના પુસ્તકનું પ્રદર્શન તેમજ સંસ્કૃત ભાષાના નાટકો, કથાઓનું વિદ્યાર્થીઓ દ્વારા નાટયાત્મક રીતે રજૂઆતકરવાનું આયોજન.
– વિદ્યાર્થીઓના આ કાર્યમાં શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને જનમેદની દ્વારા પ્રદર્શનની મુલાકાત લઈ તેમના ઉત્સાહમાં પ્રેરણા, પ્રોત્સાહન પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવેલ છે.
– કાર્યક્રમના અંતિમ ચરણમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, શાળાઓને મહાનુભાવોના વરદ હસ્તે સન્માન પત્ર આપી સૌના કાર્યને સહારવામાં આવશે.
આમ,પદાધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓઅને વિદ્યાર્થીઓ થકી “સંસ્કૃત ત્રિદિવસીય મહોત્સવ”ની ભરૂચ જિલ્લામાં હર્ષ, ઉલ્લાસ અને ઉત્સાહ સાથે માનનીય જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના ઉત્કૃષ્ટ માર્ગદર્શન અને સુમેળભર્યા સહકારથી ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે.
