Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર

Share

ભરૂચ.

અંકલેશ્વર શહેરના શાંતિનગર વિસ્તારમાં શિવ રેસિડન્સીના પાછળ રેલ્વે લાઇનને અડીને આવેલી ઝાડીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

Advertisement

મૂળ પરપ્રાંતીય રહેવાસી રોશનકુમાર મંડલ અત્યારે અંકલેશ્વરના મારુતિધામ-2 વિસ્તારમાં ભાડે રહેતા હતા અને જી.આઈ.ડી.સી. વિસ્તારમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. સવારે અંકલેશ્વર ઉદ્યોગનગર રેલ્વે સ્ટેશનથી આશરે 500 મીટર દૂર ઝાડીઓમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ સ્થળ પર દોડી પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે. મોતના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી.


Share

Related posts

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો એ સ્વૈચ્છિક રીતે એકત્રિત કરેલ વીર શહીદ ફાળો.

ProudOfGujarat

ખેડા માતરના ઉંઢેલા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારો થતાં અનેક લોકો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાનાં ૪૬૪ ગામોમાં એકસાથે પહેલી વખત સેનિટાઇઝેશનની મેગા કામગીરી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!