ભરૂચ જિલ્લામાં 108 વાલિયા એમ્બ્યુલન્સમાં અંકલેશ્વર પાસે પ્રતીમ ચોકડી પાસે અકસ્માતનો કેસ મળ્યો હતો. જેમાં વાલિયા 108 ના લોક્શન પર ફરજ બજાવતા EMT – નિલમ પટેલ અને PILOT – મોહનલાલ વસાવા થોડોક પણ ટાઈમ બગાડ્યા વિના જરૂરી તૌયારી કરી તરત જ કેસમાં જવા માટે રવાના થઈ ગયા હતા. ઇમેરજન્સી હોવાથી ત્યાં જઈને ચેક કર્યું તો એક વ્યક્તિ બેભાન હાલતમાં હતો અને તેમને જરૂરી સારવાર આપી ઝડપથી દર્દીને એમબ્યુલન્સ લીધા બાદ હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. આ દરમ્યાન એમની પાસે આશરે રોકડ રકમ 10860 રુપિયા હતા અને એટીએમ કાર્ડ મળેલ હતા જેની જાણ એમના સગાંસંબંધીઓને ફરજ પરના ઈએમટી અને પાયલોટ દ્વારા કરવામાં આવી હતી. આથી આજ રોજ (૧૨/૮/૨૦૨૫) દર્દીના સગાઓ ઉત્તર પ્રદેશના કાનપુરથી આજે આવેલ છે જેને રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ પરત આપેલ હતા.
આમ ભરૂચ જિલ્લામાં વાલિયા 2 108 લોકેશન દ્વારા પ્રામાણિકતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે.
