અંકલેશ્વર શહેરના જનજીવનને અસ્તવ્યસ્ત બનાવતા બિસ્માર રસ્તાઓ સામે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના આગેવાન વિનય પટેલે શહેરના મુખ્ય માર્ગો ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવીને સત્તાધારી પક્ષ વિરુદ્ધ અસંતોષ વ્યક્ત કર્યો હતો. વિનય પટેલે આ ખુલ્લા ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવતાં વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. તેમને જણાવ્યું કે શહેરના રસ્તાઓ પર આવેલા મોટા ખાડાઓના કારણે વાહનચાલકોને દૈનિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે – કેટલાને કમરના ઇજા જેવી ગંભીર મુશ્કેલીઓ પણ આવી છે.વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે આક્ષેપ કર્યો કે,”સત્તાપક્ષ નગરજનોની સુરક્ષા અને સુવિધાઓ પ્રત્યે ઘોર બેદરકાર છે. શાસન ખાલી નારા આપી રહી છે, જમીન પર કામગીરી શૂન્ય છે.
