લોકેશન: મોટામિયા માંગરોલ
માંગરોળ તાલુકાની વિવિધ શાળાઓમાં ધોરણ છ થી આઠ માં શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ આધારિતસામાજિક વિજ્ઞાન અને ગણિત વિષય ની તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત દ્વારા બીઆરસી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતુ
ધોરણ છ થી આઠ ના સામાજિક વિજ્ઞાન શિક્ષકોની તાલીમ તારીખ 18 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ 2025 દિન ત્રણ માટે કુલ 72 શિક્ષકો ને 6 તજજ્ઞ દ્વારા તાલીમ આપવામાં આવી હતી તથા તારીખ 21 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ દિન ત્રણ ધોરણ છ થી આઠ ના ગણિત વિષય ભણાવતા કુલ 76 શિક્ષકોને 6 તજજ્ઞ દ્વારા તાલીમ નું આયોજન તાલીમમાં શિક્ષક આવૃત્તિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને કઠણ બિંદુઓને સરળતાથી બાળકોને શીખવાડી શકાય તે અંતર્ગતની તાલીમ નું આયોજન બીઆરસી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું.તજજ્ઞો દ્વારા ખુબ સુંદર માહિતી આપવામાં આવી હતી…
:- યાકુબ પટેલ..પાલેજ…
