Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના સારસા માતાના ડુંગરનો ભવ્ય મેળો ભરાયો

Share

બપોર બાદ શરૂ થયેલ વરસાદમાં વરસાદી માહોલ વચ્ચે પણ લોકોએ મેળાની ભરપૂર મોજ માણી

ભરૂચ

Advertisement

ઝઘડિયા તા.૨૮ ઓગસ્ટ ,ચોમાસું એટલે તહેવારો અને મેળાઓની મોસમ ! સામાન્યરીતે ચોમાસામાં વર્ષના મોટાભાગના તહેવારો આવતા હોય છે તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએ મેળાઓના પણ આયોજન થતા હોય છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલ સારસા માતાના ડુંગરનો ભવ્ય મેળો આજે ભરાયો હતો. દરવર્ષે ભાદરવા સુદ પાંચમ એટલે કે સમા પાંચમના દિવસે સારસા ડુંગરે ભવ્ય મેળો ભરાય છે. આ મેળો રાજપારડી નગરથી લઇને સારસા માતાના મંદિર સુધી વિસ્તરે છે.રાજપારડી નગરના ચાર રસ્તા વિસ્તારમાં મેળો ભરાય છે,જેમાં રમકડા, પ્લાસ્ટિક વસ્તુઓ, સ્ત્રી શ્રુંગારની વસ્તુઓ તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના સ્ટોલ વેપારીઓ દ્વારા ઉભા કરવામાં આવે છે. ઝઘડીયા વાલિયા નેત્રંગ તાલુકાઓ સહિત નર્મદા જિલ્લાના તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી મેળામાં મોટી જનમેદની ઉમટે છે. રાજપારડી નજીકના સારસા ગામનું નામ સારસા માતાના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. આજે રાજપારડી નગર તેમજ સારસા માતાના મંદિર વિસ્તારમાં ભવ્ય મેળો ભરાયો હતો.સારસા ડુંગર ઉપર સારસા માતાનું મંદિર હોવા ઉપરાંત રાજપારડીથી થોડે દુર પણ સારસા માતાનું મંદિર આવેલું છે. આજે ભરાયેલ મેળા માં ઠેરઠેરથી લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા,જોકે બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો,છતાં વરસાદી માહોલ વચ્ચે લોકોએ મેળાની ભરપૂર મોજ માણી હતી.


Share

Related posts

નડિયાદ કલેક્ટર કચેરી ખાતે કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : વાગરાનાં સુવા ગામ ખાતેથી 11 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડતી દહેજ પોલીસ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર એપીએમસી માં 12 દિવસ માં 50,000 મણ કપાસની હરાજી થઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!