ચીખલી તાલુકાના મજીગામ ખાતે આવેલા છાપરા ફળીયામાં શ્રી બાળ ગણેશના પંડાળે ભવ્ય અને આકર્ષક ઉજવણી કરાઈ છે. ખાસ કરીને આ વર્ષે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની આબેહૂબ 75 ફૂટ ઊંચી પ્રતિમાએ વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે. પંડાળમાં શ્રી ગણેશજીને મહાકાલેશ્વર મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, જેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે.મજીગામમાં છેલ્લા 58 વર્ષથી ગણેશોત્સવની રંગીન પરંપરા ચાલે છે, જેમાં સ્થાનિકો ઊત્સાહભેર ભાગ લે છે. આ વર્ષે પંડાળની શોભા, સુંદર શણગાર અને આધ્યાત્મિક વાતાવરણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
