વાંકલ ::
ઉમરપાડા તાલુકાના બિલવણ એકલવ્ય શાળાનું નિરીક્ષણ તેમજ આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોર અને સરકારના જનજાતીય મંત્રી દુર્ગાદાસ ઉઈકે,સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ 750જેટલાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો અને વાડી ખાતે આવેલ સૈનિક સ્કૂલની મુલાકાત લીધી હતી.મીનીવિદ્યા નગર તરીકે ઓળખાતા વાંકલ ખાતે આવી પહોંચતા બન્ને મંત્રીઓનું સ્વાગત ઢોલનગારા, આદિવાસી નૃત્ય સાથે કરાયું હતું.21કરોડ ના ખર્ચે નવા બનેલ કન્યા છાત્રાલય નું મકાન અને 21કરોડનાતૈયાર થયેલ કુમાર છાત્રાલય ની તકતી નું અનાવરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું.
Advertisement
આદિજાતિ છાત્રાલય માં આર્ટસ, સાયન્સ, કોમર્સ કોલેજના 1100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.
