Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

૨૫ કી.મી અંતર સુધી કોઈપણ વધારાનો ચાર્જ લીધા વિના પ્રાકૃતિક કૃષિ સંસાધનોની ડિલિવરી કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરતા ધરતીપુત્ર

Share

ભરૂચ
ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાના અલાદર ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત જશવંતભાઈ છગનભાઈ પરમારે પ્રાકૃતિક ખેતી અને તેની પધ્ધતીના માધ્યમથી પ્રાકૃતિક ખેતીમાં સહારનીય કામગીરી કરી છે. તેમની સફળતા માત્ર વ્યક્તિગત આર્થિક લાભ જ નહીંપરંતુ ૨૫ કીમીની અંદરના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત છે.પ્રાકૃતિક ખેતી કરતા અને BRC સંચાલક અને CRP જશવંતભાઈ પરમાર પોતાના ઘરે બાયો ઈન્પુટ રિસોર્સ સેન્ટર પણ ધરાવે છે. તેઓ પોતાના ખેતર માટે તેમજ અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ઉત્સુક ખેડૂત મિત્રો માટે જીવામૃતનિમાસ્ત્રઅગ્નિઅસ્ત્રબ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક બનાવી તેનું વેચાણ પણ કરી રહ્યા છે. બાયોઈન પુર્ટસમાંથી પણ હવે કમાણી થઈ રહી છે. આ પહેલથી તેમને આર્થિક મદદ મળે છે અને સાથે જ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહન મળે છે.BRC સંચાલક અને CRP શ્રી જસવંતભાઈ પરમાર પ્રાકૃતિક ખેતી કરવા માંગતા ખેડુતોને ૨૫ કિમી સુધી કોઈ એક્સ્ટ્રા ચાર્જ લીધા વિના જ પ્રાકૃતિક કૃષિ સંશાધનોની  ડિલિવરી કરે છે. ઈન્પુટ રિસોર્સ સેન્ટર થકી તેમને આર્થિક સહાય પ્રાપ્ત થાય છે અને અન્ય ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કર્યાનો આનંદ પણ મળે છે.જશવંતભાઈ પ્રાકૃતિક ખેતી માટે પોતાના વિચારો રજૂ કરતા કહ્યુ કેપ્રાકૃતિક ખેતી માટેનો વિચાર અને પ્રેરણા તેઓને બે વર્ષ પહેલાં ભરૂચ આત્મા કચેરીની મુલાકાત દરમિયાન આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટ એ. આઈ. પઠાણ અને કર્મચારીઓ સાથેના વાર્તાલાપથી વિગતો જાણવા મળી હતી. અને કૃષિ મેળા અને અનેક સ્થળોના વર્કશોપમાં હાજરી આપી ટ્રેનિંગ લીધી હતી.પ્રાકૃતિક કૃષિ ધણું સાંભળ્યુંહવે શરૂઆત કરવી કે કેમ જો હું શરૂઆત કરું અને અસફળ થાઉં તો શું થશેએમાં પણ વળી ખેત ઉત્પાદન ઓછું થયું તો વગેરે જેવા પ્રશ્નો વચ્ચે મનમાં કચવાટ સાથે અને આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે થઈને જેમણે ૨૦૨૩ના અંતભાગમાં પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી. હવેછેલ્લા બે વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરીને મબલક ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે.પહેલા ખેતરની માટીના નમુનાની ચકાસણી કરાવી હતી અને તે મુજબ જમીનને તૈયાર કરી હતી. જમીનની તૈયારી માટે અંદાજિત થોડો ખર્ચ થયો ત્યારબાદ ખાનગી નર્સરીઓમાંથી જાંબુદાડમ નાળિયેરીસીતાફળની કલમો અંદાજિત ૨૨,૦૦૦/- રૂપિયાની ખરીદી કરી હતી, ભરૂચ બાગાયત વિભાગમાંથી રૂપિયા ૧૦,૦૦૦/- ની આંબા વિગેરેની કલમોની ખરીદી કરી હતી. આ તમામ ફળપાકમાં પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી તમામ બાયો ઇનપુટ ઘરે જ બનાવ્યા અને તેનો વપરાશ કરીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.જશવંતભાઈના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે આંતરપાકમાં રીંગણતુવેર કાકડીમાંથી અંદાજિત ૨ થી ૨.૫૦ લાખનો ફાયદો થયો છે. જ્યારે દાડમમાંથી ૦૧ લાખ જેવો ફાયદો જોવા મળ્યો હતો, પરંતુ આવનારા વર્ષમાં જામફળઆંબા અને જાંબુના ઝાડ મોટા થશે એટલે તેના ઉત્પાદનનો વધારો પણ ઉમેરાતા અંદાજિત આવકમાં બે ઘણો વધારો થવાનો એમ ભારપૂર્વક જણાવ્યું હતું.  

 જશવંતભાઈ છગનભાઈએ પોતાના ૧ હેક્ટર ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને આજે તેઓ તેમના મુખ્ય પાકમાં દાડમ અને આંતરપાકમાં તુવેરરીંગણકાકડી જેવા પાકો લઈ રહ્યા છે. આ ૧ હેક્ટરનાં ખેતરમાં તેઓશ્રી એ આંબાજામફળજાંબુ અને નીલગીરી જેવા પાકોનું પણ વાવેતર કર્યું છે જે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મના કોન્સેપ્ટને પણ પરિપૂર્ણ કરે છે.ખેડૂત જશવંતભાઈએ પ્રાકૃતિક ખેતીનાં સિદ્ધાંતોને અપનાવીને બીજામૃતજીવામૃતઘનજીવામૃતનિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર જેવા અન્ય પ્રાકૃતિક ઉપચારોનો ઉપયોગ કરી ખેતી કરી છે. તેમણે રાસાયણિક ખાતરોનો વપરાશ બંધ કર્યો છેસાથે આચ્છાદન પદ્ધતિથી પાણીની પણ બચત કરી રહ્યા છે. આ પદ્ધતિથી માટીની ગુણવત્તા સુધરી છે અને પાક ઉત્પાદનમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે.ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની જાગૃતિ વધી રહી છે જે પર્યાવરણ અને આર્થિક રીતે લાભદાયી છે. પ્રાકૃતિક ખેતી થી ખેડૂતો માત્ર આવક વધારી શકે છે એટલી મર્યાદીત નહી પરંતુ જમીન અને પર્યાવરણને પણ સુરક્ષિત રાખી શકે છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં મકતમપુર ઝાડેશ્વર રોડ ઉપર આઈનોક્ષ સિનેમાની સામે વીજ ડીપીમાં શોર્ટ સર્કિટ થતાં આગનાં કારણે આજુબાજુનાં વિસ્તારમાં દોડધામ મચી હતી.

ProudOfGujarat

ડાંગ : સુબીર તાલુકાના કર્મચારીઓની નવી પેન્શન યોજનાને લઈ અનોખો વિરોધ જોવા મળ્યો.

ProudOfGujarat

દાહોદ જિલ્લાના કતવારા પોલીસ મથક વિસ્તારમાં રાત્રિના કોમ્બિંગ નાઇટ દરમિયાન વાહન ચેકિંગ દરમિયાન ડમ્ફર ભરેલ ઝડપી પાડવાની પોલીસને સફળતા મળી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!