Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયા તાલુકાના રતનપુર પહાડ પર હઝરત બાવાગોરની દરગાહે 18 સપ્ટેમ્બરે ચસ્મો વધાવવામાં આવશે, આ પરંપરા સદીઓથી ચાલતી આવી છે.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકામાં રતનપુર નજીક આવેલા પહાડ પર આવેલી પ્રાચીન હઝરત બાવાગોરની દરગાહ ખાતે આવતા 786મા ઉર્સ નિમિત્તે તા. 18 સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ બપોરે 3 વાગ્યે પરંપરાગત ચસ્મો (પાણીનો કુંડ) વધાવવાની વિધિ યોજાશે.આ ધાર્મિક વિધિ વડોદરાના હઝરત કમાલુદ્દિન બાવા તથા દરગાહના ગાદીનશીન હઝરત જાનુબાપુના હસ્તે ફૂલ ધાણી અને નાળિયેર અર્પણ કરીને પારંપરિક રીતિ-રિવાજ મુજબ અદા કરવામાં આવશે.અંદાજે 800 વર્ષ જૂની આ દરગાહે દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરૂવારે ચસ્મો વધાવવાની પરંપરા નિભાવવામાં આવે છે. આ દિવસે દરગાહ પર ભવ્ય મેળો યોજાય છે, જેમાં રાજ્ય તેમજ બહારગામથી હજારો ભાવિકો ઉપસ્થિત રહી આ પાવન વિધિમાં જોડાઈ ધન્ય બનતા હોય છે.યાત્રાળુઓની સુવિધા માટે ઝઘડિયા તથા રાજપારડી માર્ગેથી ખાસ વાહન વ્યવસ્થા કરવામાં આવી છે…

 

Advertisement

:- યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

ન્યુઝ 18 નાં એન્કર દ્વારા હઝરત ખ્વાઝા ગરીબ નવાઝ વિશે અભદ્ર ટિપ્પણી કરતાં અંકલેશ્વરનાં મુસ્લિમ સમાજનાં આગેવાનો દ્વારા શહેર પોલીસ મથકે પીઆઇ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપળામાં ભારે વરસાદમાં સ્ટેશન રોડ અને વડિયા પેલેસ રોડ પરના બે કોટની દીવાલો ધરાશાયી થતાં રીપેર કરવાની માંગ.

ProudOfGujarat

વડોદરા : દિવ્યાંગોને સરળતાથી લાભ મળે તે માટે જિલ્લા કલેકટર દ્વારા નેશનલ ટ્રસ્ટ એકટ મુજબ રચના કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!