ભરૂચ
માર્ગ અને મકાન વિભાગ, ભરૂચ (રાજ્ય) હસ્તકના વિવિધ રસ્તાઓ પર ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના લીધે ખરાબ થયેલ રસ્તાઓની મરામત અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરુચ શહેરમાં વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે શક્તિનાથથી લિંક રોડ અને સ્ટેશનથી ઝાડેશ્વર પર ડામર પેચવર્કની પેચવર્કની કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ ચોમાસામાં રસ્તાઓની ખરાબ હાલતથી લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે વિભાગે તાત્કાલિક પગલાં લીધાં છે.જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદથી નુકશાન પામેલા અન્ય રસ્તાઓની મરામતનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત રસ્તાઓને કારણે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડે, તે માટે વરસાદ બંધ થતાં ભરૂચ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, મેટલવર્ક અને ડામર પેચવર્કની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
