અંકલેશ્વર શહેરમાં સ્ટેટ હાઇવે તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિત ત્રણ વિભાગોમાં આવતા માર્ગનો નગર પાલિકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા.જે અંકલેશ્વરના ઓ.એન.જી.સી.થી સંતશ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ,ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય 9 માર્ગોના નવીનીકરણનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.6 કરોડથી વધીને ખર્ચે માર્ગો અને સિનિયર સિટીઝન ગાર્ડનનું 90 લાખના ખર્ચે રીનોવેશન કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુહૂર્તમાં લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ,મુખ્ય અધિકારી કેશવલાલ કોલડીયા,કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
