ભરૂચ.
હાસોટ તાલુકાના પટાંગણ ગામે આજે કોટેશ્વર મંદિર પ્રાંગણમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જયેશભાઈ પટેલ, સંદીપ માંગરોલા, વલ્લભભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, શેખભાઈ અને બાબુભાઈ સહિતના આગેવાનોની હાજરી નોંધાઈ હતી.
બેઠક દરમિયાન મુખ્યત્વે ખેડૂતોને ભેગા થતા સિંચાઈ સંબંધિત પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી. ખેડૂતોને પાણીની ઉપલબ્ધિમાં આવી રહેલી મુશ્કેલીઓ, નહેર વ્યવસ્થાપન તથા કૃષિ આધારિત મુદ્દાઓ પર આગેવાનો દ્વારા સૂચનો આપવામાં આવ્યા.
તદુપરાંત, આવનારી સહકારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પણ વ્યૂહરચના ઘડાઈ. આગેવાનો દ્વારા ભાજપ સરકાર સામે પડકાર ઊભો કરવા માટે તેમજ બિન-ભાજપી પેનલો ઉભા કરવાની જરૂરિયાત અંગે ચર્ચા થઈ. સહકારી ચુંટણીઓમાં ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી.
આ બેઠકથી હાસોટ તાલુકા અને આસપાસના ખેડૂતોમાં નવી સજાગતા અને રાજકીય ગતિશીલતા ઊભી થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
