Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાજપીપળા ST ડેપોના વહીવટમાં અવ્યવસ્થા: મુસાફરોની હાલાકી, તાત્કાલિક પગલા લેવા લોક માગ ઉઠી…

Share

રાજપીપળાના ST ડેપોનું સંચાલન કથળી ગયું હોવાની અનેક ફરિયાદો ઊઠી રહી છે. બસો સમયસર પહોંચતી ન હોવા, અવારનવાર રસ્તામાં જ બંધ પડી જવા, અને સ્ટાફ સાથે મુસાફરોને થતા ઘર્ષણના કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મુસાફરોની મુખ્ય ફરિયાદ છે કે બસો નિયત સમય પર ઉપડતી કે પહોંચતી નથી. આ વિલંબના કારણે લોકોના કામકાજ પર અસર પડે છે. ડેપો મેનેજરે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, પોઇચાનો પુલ બંધ હોવાથી બસોને 30 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડે છે, જેના કારણે બસો મોડી પડે છે. જોકે, મુસાફરોનું કહેવું છે કે આ એકમાત્ર કારણ નથી, કારણ કે ઘણીવાર બસો સમયસર ઉપડતી જ નથી અથવા રસ્તામાં જ મોડી પડે છે. રાજપીપળા ST ડેપોનું સંચાલન સુધારવું અત્યંત જરૂરી છે. જો બસોનું યોગ્ય મેન્ટેનન્સ થાય, અને સમયપાલન પર ધ્યાન આપવામાં આવે, તો મુસાફરોની હાલાકી ઓછી થઈ શકે છે. સત્તાધીશો આ મામલે ગંભીરતાથી ધ્યાન આપે અને તાત્કાલિક પગલાં ભરે તેવી લોકો માગ ઉઠવા પામી છે…

બાઈટ ડેપો મેનેજર

Advertisement

Share

Related posts

ઝઘડિયાના દુમાલા વાઘપુરા ગામે આર.ટી.આઇ હેઠળ સમયસર માહિતી ન અપાતા જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 34,738 વિદ્યાર્થીઓ પાસ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં નખાઇ રહેલાં વીજ ટાવરોનો વિરોધ : કલેક્ટરને આવેદન, અસરગ્રસ્તોની યોગ્ય વળતરની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!