Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેશભરમાં બની રહેલા દુષ્કર્મની ધટનાઓનાં ધેરા પ્રત્યાધાત પડીયા છે દેશનાં લોકોમાં નરાધમો પ્રત્યે રોષ ભારે આક્રોશ છે જેમાં દેશભરમાં નરાધમોને કડક સજાની માંગણી કરવામાં આવી છે જેમાં ભરૂચનાં જાગૃત નાગરિકો દ્વારા સ્ટેશન રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરતાં કાર્યક્રમ કર્યા હતા.

Share

હૈદરાબાદની તબીબ સાથેનાં દુષ્કર્મની ધૂણાસર કૃત્ય અને ત્યારબાદ વડોદરા યુપી સહિત દેશભરમાં એક જ સપ્તાહમાં લગભગ 24 થી પણ વધુ દુષ્કર્મની ધટનાઓમાં સૌથી વધુ સગીર કિશોરી અને બાળકીઓને નિશાન બનાવવામાં આવી રહી છે જ્યારે આ દુષ્કર્મ મામલે સરકાર દ્વારા લેવાતાં પગલાં સામે લોકોમાં રોષ છે. લોકોમાં આ અધર્મ કૃત્યથી લોકોમાં આક્રોશ જોવા મળી રહીયો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને બાળાત્કારીઓને સખ્ત સજા કરવાની માંગણીઓ કરવામાં આવી રહી છે જ્યારે ભરૂચ શહેરમાં પણ જાગૃત નાગરિકો દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે એકત્ર થયા હતા જ્યાં તેમણે મહિલાઓને ન્યાય આપો, બાળાત્કારીઓને કડક સજા કરો તેમજ કેન્ડલ હાથમાં લઈને બાળાત્કારીઓને ફાંસીની સજા કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં અબ્દુલ કામઠી, ઇમ્તીયાઝ પટેલ, રતિલાલ પરમાર, હર્ષદ માસીર સહિત જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચની બહેનોને અમૂલ્ય ભેટ, જાણો શું?

ProudOfGujarat

ભરૂચ : પ્રતિબંધ હોવા છતાં મસમોટા ભારે વાહનો નર્મદા મૈયા બ્રિજ પરથી થઇ રહ્યા છે પસાર : ટ્રાફિકજામનો સિલસિલો યથાવત…!

ProudOfGujarat

RBI એ લોન્ચ કર્યું નવું પોર્ટલ, હવે લોન લેવી બનશે વધુ સરળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!