ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામે દુઃખદ ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ ગામના વણકરવાસ પાસે આવેલા કુવામાં અસ્થિર મગજની યુવતીએ પડતું મૂક્યું હતું. યુવતીની ઓળખ ગીતાબેન નટવરભાઈ પરમાર (ઉંમર આશરે 30 વર્ષ) તરીકે થઈ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ યુવતીની દિમાગી હાલત બરાબર ન હોવાથી તે અવારનવાર ઘરેથી બહાર નીકળી જતી હતી. યુવતી ગતરોજ કોઈને કહ્યા વિના બહાર નીકળી ગઈ હતી.બપોરના આશરે 1 થી 1:30 વાગ્યાની વચ્ચે વણકરવાસ નજીકના કુવામાં પડતું મૂક્યું હતુ
ઘટનાની જાણ થતા ગામ લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ભેગા થયા હતા.ગામલોકોએ તાત્કાલિક વેડચ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુવતીને કુવામાંથી બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી…
Advertisement
:- યાકુબ પટેલ..પાલેજ…
