માંગરોળ તાલુકાના નાંદોલા ખાતે ઝંખવાવ સીટનો નૂતનવર્ષ સ્નેહ મિલન સંમેલન તેમજ બિરસા મુંડા ભગવાનની પ્રતિમાના અનાવરણ માટેની મિટિંગ યોજાવામાં આવી હતી.
માંગરોળ ના મોસાલી ખાતે ભગવાન બિરસામુંડા ની પ્રતિમા અનાવરણ નો કાર્યક્મ 12-11-2025ના રોજ મોસાલી ચારરસ્તા ખાતે રાખવામાં આવેલ હોય જેના આયોજનના ભાગરૂપે નાંદોલા ખાતે મિટિંગ તેમજ સ્નેહમિલન સમારોહ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી.આ મિટિંગમાં જીલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો,સરપંચો, ડે.સરપંચો, આગેવાનો, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
