ભરૂચ
મરૂચના ઝાડેશ્વર ગામે સાંઈ મંદિર પાસે પાનમ ગ્રુપની નિર્માણ પામી રહેલી એરીસ સિગ્નેચર નામની બિલ્ડીંગ પર શ્રમિકો નિયમિત રીતે કામ કરી રહ્યાં હતાં. દરમિયાનમાં મંગળવારે રાત્રીના સમયે બિલ્ડીંગમાં એક શ્રમિક કામ કરતી વેળાં અચાનક કોઈ કારણસર તેનું સંતુલન નહીં રહેતાં તે ઉપવા માળેથી નીચે પટકાતાં તેનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજયું હતું. ઘટનાની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડથી હતો. બનાવને પગલે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
