Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યુકેના વિઝા અપાવવાની લાલચે ભરૂચના શખ્સ સાથે ૧૬ લાખથી ઠગાઈ

Share

ભરૂચના યુવાને બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ભરૂચ શહેરના વેજલપુર કારિયા સ્ટ્રીટ ખાતે રહેતાં આસિફ ગુલામઅસગર શેખ ભરૂચમાં એક બેન્કમાં કલેક્શન વિભાગમાં ડે. મેનેજર તરીકે ફરજ નિભાવે છે. દરમિયાનમાં ગત ફેબ્રુઆરી મહિનમાં તેનો મામાનો છોકરો ફૈઝલ મુસ્તાક શોખ (રહે. પીરકાઠી રોડ) યુકે જઈ આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, યુકે રહેતો હતો. ત્યાં મુળ ભરુચના જ નુરાની શોસાયટીના વતની એવા મહમદ ઈઝહાન  મલેક સાથે સંપર્ક થયો હતો. તે હાલમાં યુકેના લેસ્ટરમાં રહે છે. તે હોમ કેરમાં નોકરી લગાવવા માટે તેનો સંપર્ક કરે છે. ફૈઝલે ઈઝહાની આસીફ સાથે વાત કરાવી હતી. જેમાં તેણે તેને જણાવ્યું હતું કે, તેના બે ત્રણ જગ્યાએ સંપર્ક છે. અને તમને જ્યા સારુ લાગે ત્યાં એપ્લાય કરી શોકો છે, હોમકેર વિઝામાં આઈએચએસ ફી લાગતી નથી. અને ભવિષ્યમાં પરિવારને પણ બોલાવી શકાય છે.

Advertisement

કુલ ૨૦ લાખનો ખર્ચ થાય તેમ છે. જે ત્રણ તબક્કામાં આપવાના રહેશે. તે ભરૂચનો જ વતની હોવાને કારણે તેના પર વિશ્વાસ બેસતો તેમણે વિઝાની પ્રોસેસ શરુ કરાવી હતી. જે બાદ અલગ અલગ પોસેસ ફીના નામે તેમની પાસે રૂપિયા માંગ્યા હતો. જે રૂપિયા તેમને અસ્પાક ઉંમર ફુરડ (રહે, પાલેજ) તેમજ કિહાન ઉર્ફ આદિલ દલ્લા (મુળ રહે. સાસરોદ) રૂપિયા મેળવ્યાં હતાં. ત્રણેષ આરોપીઓએ મળી તેમને અલગ અલગ પ્રોસેસના નામે તેમને રુપિયા જમા કરાવ્યાં હતાં. આખરે તેમણે ઈઝહાન આસીફ અલી મલેક (રહે. નુરાની સોસાયટી, હાલ રહે. યુકે લેસ્ટર) કીહાન ઉર્ફે આદિલ દાઉદ હાજી મહમંદ દલ્લા (રહે. સાસરોદ, કરજણ) તેમજ અસ્પાક ઉંમર ફુરડ (રહે, પાલેજ) સામે ઠગાઈને લઈને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સીઓએસ લેટર બોગસ નિકળતાં ૧૦ વર્ષ માટે તેમને બેન્ડ કર્યા

પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું લાગતાં આસીફ ગુલામઅસગર શેખે તેમની સામે કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી હતી. તે વેળા યુકે એમ્બેસીમાથી તેમને જણાવવામાં આવ્યું હતું કે. તેમણે મોકલાવેલાં સીઓએસ લેટરમાં છેડછાડ કરી તમારૂ નામ લખેલું હોવાથી તેમના વિઝા કેન્સલ કરવામાં આવ્યાં છે. જેના કારણે યુકે એમ્બેસીએ તેમના પર ૧૦ વર્ષનો પ્રતિબંધ મુકી દીધો હતો.


Share

Related posts

નર્મદા જિલ્લાનાં તિલકવાડા નજીક આવેલા મણિનાગેશ્વર મંદિર પાસેથી વનવિભાગ દ્વારા ૧૩ ફૂટ લાંબો મહાકાય મગર રેસ્ક્યુ કરાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આગામી શ્રાવણ માસનાં અને અન્ય તહેવારો યોજાશે કે કેમ તે અંગે પ્રશ્નો જાણો વાસ્તવિક હકીકત.

ProudOfGujarat

નડિયાદમાં નવિન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં નગરયાત્રા નીકળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!