ભરૂચના જુના તવરા ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.વન વિભાગે તત્કાલિક પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે

Advertisement
ભરૂચના જુના તવરા ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ છે. તાજેતરમાં તવરા પ્રાથમિક શાળા નજીક દીપડાએ એક વાછરડાનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડો ગામની વસતી વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને શાળા નજીક બાંધેલા વાછરડાને શિકાર બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળી રહી હોવાના કારણે ગ્રામજનો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી જેના પગલે વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું.
