Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ કતોપોર બજાર, ચાર રસ્તા પર કચરાનાં ઢગ જોવા મળ્યા.

Share

ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં ક્રમશ: ઘટાડો થઇ રહ્યો છે જેના પગલે તંત્ર અને ખેડૂતોમાં હાશકારાની લાગણી જણાય રહી છે. પરંતુ પૂર ઓસર્યા બાદ હવે ભરૂચ નગરપાલિકાની ખરી કસોટી શરૂ થઈ ગઈ છે. આમ પણ સ્વ્ચ્છતા સર્વેક્ષણમાં ભરૂચનો નંબર પાછળ ધકેલાયો છે જે સાબિત કરે છે કે સ્વ્ચ્છતા અંગે નગરપાલિકા તંત્ર ઉદાસીન છે. હવે જયારે ફુરજા, કતોપોર દરવાજા, ચાર રસ્તા, ધોળીકુઇ, દાંડિયાબજાર વગેરે વિસ્તાર તેમજ ભૃગુઋષિ મંદિર અને શનિદેવ મંદિર પાસેથી નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ કાદવ કીચડની ગંદકી ફેલાય ગઈ છે જે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે તેમજ રોગચાળો ફેલાવાની સંભાવના છે ત્યારે નગરપાલિકા દ્વારા ગંદકી દૂર કરી દવાનો છંટકાવ થાય તેવી લોકમાંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

તિલકવાડા તાલુકાનાં કામચોલી ટેકરામાં 35 વર્ષનાં યુવાને જીગોરાની ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા ચકચાર…

ProudOfGujarat

ભરૂચ : નર્મદા ચોકડી ઉપરથી નશાયુક્ત માદક પદાર્થ ગાાંજાના જથ્થા સાથે એક ઇસમની ભરૂચ એસ.ઓ.જી એ ધરપકડ કરી.

ProudOfGujarat

BSFએ છોડયા ૯૦૦૦ મોર્ટારઃ પાકિસ્તાની રેન્જર્સના ઓઇલ ડેપો અને ફાયરીંગ પોઝિશન્સ તબાહ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!