Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડના કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા એનડીપી ગૃપ દ્વારા જરૂરીયાતમંદોને ભોજનની વ્યવસ્થા કરાઈ.

Share

વલસાડ તાલુકાનાં ઔરગાનદીનાં કાંઠે આવેલ વેજલપુર જવાહરનગર, ગામ, ધમડાચી ગામનાં કલ્યાણવાડી,પ્રજાપતિ મહલ્લો, 56 નગરી, કોળીવાડ અને વલસાડ નગરપાલિકા વિસ્તારનું ભાઠા ફળિયું જેવા વિસ્તારમાં રહેતાં ગરીબ પરિવારોનાં ધરમાં વરસાદી અને પુરનું પાણી ભરાઈ ગયું છે. 400 પરિવારનાં ધરોમાં રહેલ ધરવખરીનો સામાન તેમજ અનાજ પીલળાઈ ગયું હતું જેનાં 400 પરિવારનાં સભ્યો પર આફત આવી હતી જેને ગુંદલાવ ગામનાં સરપચ નિતિનભાઈ પટેલ, ધમડાચી ગામનાં સરપંચ અનિશાબેન, નિલેશકુમાર પટેલ, વેજલપોર ગામનાં સંરપચ કૌશિક પટેલ અને પુર્વ ભાજપ તાલુકા પ્રમુખ કેયર પટેલ, વલસાડ તાલુકા ભાજપ આદિજાતી મોરચા પ્રમુખ નિતિન પટેલ તથા તેમની ટીમ અને એન.ડી.પી ગ્રુપનાં તમામ કાર્યકરો રાહત કાર્યમાં જોડાયા હતાં. તમામ 400 જરૂરીયાતમંદ પરિવારોને ગુંદલાવનાં સરપંચ નિતિનભાઈ પટેલએ ભોજનની વ્યવસ્થા કરી ખુબ સરાહનીય કામગીરી કરી હતી.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

ગોધરા : સોમનાથ નગર વિસ્તારમાં આડેધડ ખોદકામને પગલે પાણીની પાઈપલાઇનો તૂટતા હાલાકી.

ProudOfGujarat

જ્યોતિ સક્સેના આ દિગ્ગજ અભિનેત્રીને પોતાની પ્રેરણા માને છે, આવો જાણીએ કોણ છે આ અભિનેત્રી

ProudOfGujarat

અંક્લેશ્વર પંથકમાં રમજાન ઈદની ઉત્સાહભર ઉજવણી કરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!