Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના ગડખોલમાં આખલાનો આતંક: ઐય્યાપ્પા ટેમ્પલ પાસે પાંચ લોકો ઘાયલ, એકની હાલત ગંભીર

Share

 

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ ઐય્યાપ્પા ટેમ્પલ નજીક આખલાના હુમલાનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં આખલો અચાનક લોકો પર તૂટી પડતો દેખાય છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

Advertisement

આ ઘટનામાં કુલ પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચ્યાની માહિતી મળી છે, જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ ઘટના ગત 26 ડિસેમ્બરના રોજ બની હતી, પરંતુ હવે તેનો વિડિયો વાયરલ થતાં ફરી એકવાર સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનાને લઈને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ થવા જોગ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પોલીસે મામલાની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.


Share

Related posts

ભરૂચ શિક્ષણ વિભાગ બોર્ડની પરીક્ષાને લઈને સજજઃ હેલ્પલાઈન જાહેર કરી

ProudOfGujarat

નારેશ્વર ચોકડી પાસે હાઈવા ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવા સવાર એક ઇસમનું કરૂણ મોત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસનાં વધુ ચાર દર્દી સાજા થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!