Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકાએ શક્તિનાથ ફુડકોર્ટમાં ગંદકી કરનારાઓએ નોટીસ ફટકારી

Share

લારી-ગલ્લાનું ગંદુ પાણી જાહેરમાં ઠાલવી ગંદકી કરાતી હતી

ભરૂચ

Advertisement

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળે ચેકિંગ શરૂ કરાઈ છે, જેમાં વિવિધ ફુડકોર્ટ સહિતના સ્થળોની સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત જેને વિસ્તારમાં જો કોઈ દુકાનદાર તેનું ગંદુ પાણી જાહેરમાં ફેંકતાં હોય કે અન્ય પ્રકારની બંદકી કરતાં હોય તેમને સ્થળ પર જ દંડ ફટકારવાની તેમજ નોટીસ આપવાની કાર્યવાહી ચાલું કરવામાં આવી છે. દરમિયાનમાં ભરૂચ નગરપાલિકાની એક ટીમ શહેરના શક્તિનાથ ફુડકોર્ટ વિસ્તારમાં અચાનક ચેકિંગ હાથ થયું હતું, જેમાં સાંજના સમયે એક દુકાન સંચાલકે તેની દુકાનમાંનું ગંદુ પાણી રોડની સાઈડમાં મેદાનમાં ફેંકયું હતું. જેના પગલે ત્યાં ગંદા પાણીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. જોકે, ત્યાં જાણે નિયમીત પાણી ફેંકવામાં આવતું હોય તેવી ગંદકી જણાઈ હતી. જેના પગલે ગુરુવારે સવારે ભરૂચ પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ તેમજ તેમની ટીમ શક્તીનાથ ફુડકોર્ટ વિસ્તારમાં ધસી ગયાં હતાં. ત્યાં સ્થળ તપાસ કરી ગંદા પાણીના ખાબોચિયાને માટી નાંખી પુરાણ કરી દેવામાં આવ્યાં હતાં. બીજી તરફ વિસ્તારમાં એક-બે ખુણામાં અતિષય ગંદકી હોઈ ત્યાં તમામ પ્રકારનો કચરો ફેકવામાંઆવતો હોવાનું જણાતાં તેની પણ સાફસફાઈ કરવામાં આવી હતી. જે બાદ તમામ વિસ્તારમાં દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. ઉપરાંત દરેક વેપારીઓને ફુટકોર્ટ વિસ્તારમાં સ્વચ્છતા રાખવા માટે તાકીદ કરવામાં આવી હતી. તેમજ ગઈકાલે ગંદુ પાણી ફેંકનાર વેપારીને નોટીસ ફટકારવામાં આવીહતી. આગામી દિવસોમાં ગંદકી કરનારાઓ પાસેથી ભારે દંડ વસુલવામાં આવશે તેમ પાલિકાતંત્રએ જણાવ્યું હતું.


Share

Related posts

અંકલેશ્વર ખૂની ખેલના બાંગ્લાદેશી આરોપીઓને ગેરકાયદેસર રીતે રાખતા મકાન માલિકની પોલીસે તપાસ હાથધરી…શું મકાન માલિક પણ શામેલ..?

ProudOfGujarat

ગઢડાના DYSP ના ડિસમિસની માંગ સાથે સુરતમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આપ્યું આવેદન

ProudOfGujarat

ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ કાંસમાંથી એક ઇસમનો મૃતદેહ મળતા ચકચાર : પોલીસે મામલે વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!