Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તમારા સીસીટીવી કેમેરાના એંગલ અમારા ઘર તરફ કેમ રાખ્યા છે કહેતાં ત્રણ જણાનો દપતિ પર હુમલો

Share

 

ભરૂચના શુક્લતીર્થ ગામે ગણેશવિહાર સોસાયટીની ઘટના

Advertisement

ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલી ગણેશ વિહાર સોસાયટીમાં રહેતાં મેહુલસિંહ મહેન્દ્રસિંહ પરમાર તેમની પત્ની તેમજ બે સંતાનો સાથે રહે છે. દરમિયાનમાં તેમની સોસાયટીમાં રહેતાં સુધાબેન નાગજી ઠાકોરે તેમના ઘરે સીસીટીવી કેમેરા લગાવ્યાં હતાં જોકે, એક કેમેરાનો એંગલ મેહુલસિંહના ઘર તરફ હોવાનું લાગતાં તેમની પત્ની હિનાબેનને શંકા હોઇ દંપતિ સુધાબેનને તે બાબતે જાણ કરી તેમને તેમના સીસીટીવી કેમેરાના એંગલ તેમના ઘર પુરતા રાખવા કહેતાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમિયાનમાં તેમનો પુત્ર કર્તવ્ય ઠાકોર તેમજ દિશાંત ઠાકરો ત્યાં આવ પહોંચ્યાં હતાં. જેથી તેમણે તેમને પણ સીસીટીવી કેમેરાના એંગલ બાબતે કહેવા જતાં તેઓ ઉશ્કેરાઇ ગયાં હતાં. તેઓએ મળી દંપતિ પર હુમલો કરી તેમને ઇજાઓ પહોચાડી હતી. અરસામાં આસપાસના લોકોએ દોડી આવી તેમન છુટાં પાડ્યાં હતાં. જોકે, જતાં જતાં કર્તવ્ય તેમજ દિશાંત તથા તેમની માતાએ તેમને આ વખત તો તમને જવા દઇએ છીએ બીજી વાર જો સામે આવ્યા છો તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી છે.


Share

Related posts

ભરૂચ : પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચિલ્ડ્રન ડે તથા દિવાળીની ઉજવણી કરાઈ હતી.

ProudOfGujarat

ભરૂચ-અડધા શહેરમાં આજે કલાકો સુધી વીજકાપ થી લોકો હેરાન પરેશાન.

ProudOfGujarat

રાજપીપળા ખાતે 2.89 કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરીમાં ચાર મહિનાથી લિફ્ટ બંધ હોવાથી અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!