Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તમારા સીસીટીવી કેમેરાના એંગલ અમારા ઘર તરફ કેમ રાખ્યા છે કહેતાં ત્રણ જણાનો દપતિ પર હુમલો

Share

 

ભરૂચના શુક્લતીર્થ ગામે ગણેશવિહાર સોસાયટીની ઘટના

Advertisement

ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલી ગણેશ વિહાર સોસાયટીમાં રહેતાં મેહુલસિંહ મહેન્દ્રસિંહ પરમાર તેમની પત્ની તેમજ બે સંતાનો સાથે રહે છે. દરમિયાનમાં તેમની સોસાયટીમાં રહેતાં સુધાબેન નાગજી ઠાકોરે તેમના ઘરે સીસીટીવી કેમેરા લગાવ્યાં હતાં જોકે, એક કેમેરાનો એંગલ મેહુલસિંહના ઘર તરફ હોવાનું લાગતાં તેમની પત્ની હિનાબેનને શંકા હોઇ દંપતિ સુધાબેનને તે બાબતે જાણ કરી તેમને તેમના સીસીટીવી કેમેરાના એંગલ તેમના ઘર પુરતા રાખવા કહેતાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમિયાનમાં તેમનો પુત્ર કર્તવ્ય ઠાકોર તેમજ દિશાંત ઠાકરો ત્યાં આવ પહોંચ્યાં હતાં. જેથી તેમણે તેમને પણ સીસીટીવી કેમેરાના એંગલ બાબતે કહેવા જતાં તેઓ ઉશ્કેરાઇ ગયાં હતાં. તેઓએ મળી દંપતિ પર હુમલો કરી તેમને ઇજાઓ પહોચાડી હતી. અરસામાં આસપાસના લોકોએ દોડી આવી તેમન છુટાં પાડ્યાં હતાં. જોકે, જતાં જતાં કર્તવ્ય તેમજ દિશાંત તથા તેમની માતાએ તેમને આ વખત તો તમને જવા દઇએ છીએ બીજી વાર જો સામે આવ્યા છો તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી છે.


Share

Related posts

ક્ષમતા કસોટીમાં ઉત્તીર્ણ થયેલા છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરાયા…

ProudOfGujarat

નડિયાદનાં ઈન્દુલાલ યાજ્ઞિકની 130 મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

પ્રતાનગર લલિતા ચાલીમાં વડોદરામાં તસ્કરોનો તરખાટ, પોલીસે ઉડાઉ જવાબ આપ્યો જાણો કેવો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!