Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દહેજ ઘોઘા રો-પેક્સના શિપને રવાના કરાવતી વેળા ટગ પાણીમાં પલટી જતા ૧ ક્રુ મેમ્બરનું મોત નીપજ્યું હોવાની આશંકા.

Share

આજરોજ બપોરના સમયે દહેજ રો રો ફેરી સર્વિસ જેટીની બાજુમાં રો-પેક્સ શિપને પુશીંગ કરવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં ૭ જેટલા ક્રુ મેમ્બર્સ પોતાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન એકાએક વસિલ-૦૩ નામનું ટગ પાણીમાં પલ્ટી મારી ગયું હતું. ત્યારબાદ વસિલ-૦૩ ટગમાં સવાર કુલ ૭ ક્રુ મેમ્બર પૈકી ૬ જેટલા ક્રુ મેમ્બર મળી આવ્યા હતા. ટગના માસ્ટર હીરાલાલનો હાલ સુધી કોઈ પત્તો ન લાગ્યો હોવાથી પાણીમાં તેઓ ગરકાવ થઈ ગયા હોવાની આશંકા વર્તાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ દહેજ મરિન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

આ ઉપરાંત દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસને અવાર નવાર આવા વિઘ્નનો સામનો કરવો પડે છે તો શું આવનાર સમયમાં કોઈ મોટી હોનારત થઈ ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની…???


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ખેત જણસોના પરિવહન માટે કૃષિ વિભાગ દ્વારા કિસાન રથ મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી.

ProudOfGujarat

એસ એસ સી અને એચ એચ સી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર …

ProudOfGujarat

ભરૂચ પાલિકાએ ૭૦ થી વધુ જર્જરીત મકાનોને ઉતારી લેવા નોટીસ ફટકારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!