Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા નગરના મુખ્ય માર્ગ પર ગટર ઉભરાતા ગંદકીનું પ્રમાણ વધ્યું: લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

Share

– ગટરની સફાઈ કરવા જતાં ત્રણ સફાઈ કામદારોનું મોત નીપજ્યું હતું તે જ જગ્યાએ ગટર ઊભરાઈ

ડેડીયાપાડા નગરના મુખ્ય માર્ગો પર હાલ ચોમાસા દરમિયાન ગટર ઉભરાતા રોડ પર ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ડેડીયાપાડા યાહા મોગી ચોક થી મોસદા જવાના રોડ પર ગટર ઉભરાતા નગરના પ્રવેશદ્વાર સુધી ગટરનું દુર્ગંધ મારતું પાણી વહેતું થયું છે. તેમજ નગરના મુખ્ય માર્ગ એવા તાલુકા પંચાયત પાસે પણ ગટર ઉભરાતા ખરાબ પાણી વહેતુ થયું છે.

Advertisement

થોડા સમય અગાઉ આ જ જગ્યા એ ગટરની સફાઈ કરવા ઉતરેલા ત્રણ જેટલા સફાઈ કામદારોનું મોત થયું હતું. ત્યારે હાલ ગંદકીને કારણે આસપાસના રહીશોને ત્યાં થી પસાર થવું મુશ્કેલ થઈ ગયું ગયું છે. દુર્ગંધ મારતું પાણી રસ્તા ઉપર વહેતા આસપાસ વિસ્તારમાં રોગચાળાની સ્થિતી વકરે એમ લાગી રહ્યું છે. ત્યારે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.

તાહિર મેમણ , ડેડીયાપાડા


Share

Related posts

Modi@68: ભારતની સ્વતંત્રતા બાદ જન્મેલાં નરેન્દ્ર દેશનાં પ્રથમ PM, જાણો વડનગરથી દિલ્હી સુધીની કેવી રહી સફર…

ProudOfGujarat

લીંબડી સબ જેલમાં કેદી એ પોલીસ કર્મી પર હુમલો કરતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

જામનગરમાં ત્રણ મહિલા સહિત નવ ઈસમો જુગાર રમતા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!