Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા : પંચામૃત ડેરીનાં ચેરમેન જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચુંટાયા.

Share

પંચમહાલ જીલ્લા પશુપાલકોની જીવાદોરી સમાન એવી પંચામૃત ડેરી ખાતે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરવામા આવી હતી.

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે પંચામૃત ડેરી છે. જે પંચમહાલ, મહિસાગર, દાહોદ જીલ્લાના પશુપાલકો માટે આર્શિવાદ સમાન છે. આજે સોમવારના રોજ પ્રાંત અધિકારી અને બોર્ડ ઓફ ડીરેકટર્સની હાજરીમાં ચેરમેન પદની ચુંટણીમાં જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા. જેઠાભાઇ સતત ચોથી વખત પંચામૃત ડેરીના ચેરમેન તરીકે બિન હરીફ ચુંટાયા છે. ચેરમેન પદે વરણી થતા ડેરીના કેમ્પસમાં સ્થાનિક કલાકારો દ્વારા ગફુલી નૃત્યની રમઝટ જમાવીને તેમનું સ્વાગત કરવામા આવ્યુ હતુ. કાર્યકરો, ગ્રામ્ય વિસ્તારોની ડેરીઓના ચેરમેનએ પણ તેમને શુભકામના પાઠવી હતી.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા બિસ્માર રસ્તા અંગે ઉગ્ર રજુઆત કરાતા નગરપાલિકાએ આજે રસ્તાનું સમારકામનું કરવાનું કાર્ય શરૂ કર્યું હતું.

ProudOfGujarat

વાલિયા એપીએમસી ની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

ProudOfGujarat

નવસારી-વિશ્વની તમામ ભાષાઓમાં સંસ્કૃત સર્વોપરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!