Proud of Gujarat
GujaratFeaturedINDIA

આંતરરાષ્ટ્રિય આદિવાસી દિવસની ઉજવણી સમારોહ યોજાશે

Share

ગોધરા,
પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકાના મોરા ગામે તા. ૯મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ આંતરરાષ્ટ્રિય આદિવાસી દિવસની ઉજવણીનો સમારોહ યોજાશે. રાજ્યના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાનારા આ સમારોહમાં મુખ્ય મહેમાન પદે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના ચેરમેન શ્રી ડી.ડી. પટેલ, અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, સાંસદ શ્રી રામસિંહભાઇ રાઠવા, સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, ધારાસભ્ય સર્વશ્રી જેઠાભાઇ આહિર, શ્રી સી.કે. રાઉલજી, શ્રી ભુપેન્દ્રસિંહ ખાંટ અને શ્રીમતી સુમનબેન ચૌહાણ ઉપસ્થિત રહેશે.
મોરા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રની સામેના મેદાનમાં સવારના ૧૦/૦૦ કલાકથી શરૂ થનારા જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જિલ્લાના સૌ નાગરિકોને પધારવા જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ અને પ્રાયોજના વહીવટદાર શ્રી એમ.એમ. મકવાણા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

સુરત થયું અનલૉક : કોરોનાનાં કેસમાં ઘટાડો થતા એરપોર્ટ પર મુસાફરોની અવરજવર વધી.

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી રીક્ષા માંથી વિદેશીદારૂ ના જથ્થા સાથે રીક્ષા ચાલક ની અટકાયત કરી કુલ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

અમદાવાદ શહેરમાં કરાશે ટ્રાફિક ડ્રાઈવ-રોડ પરનાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે-ચંડોળા ચોકીથી ઈસનપુર ચાર રસ્તા સુધી ડ્રાઈવ કરાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!