Proud of Gujarat
FeaturedGujaratINDIA

અખાત્રીજના દિવસે રાજ્યના 24 યાત્રાધામો પર સફાઈ ઝૂંબેશ, CM સહિત અનેક નેતાઓ જોડાયા

Share

રાજ્યભરમાં પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી સફાઈ ઝૂંબેશ શરુ કરવામાં આવી છે. આ માટે આજે અખાત્રીજના પાવન દિવસે રાજ્યના એક સાથે 24 યાત્રાધામો પર સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ સફાઈ ઝૂંબેશમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સહિત ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો જોડાયા હતા. આજે સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી સહિત મંદિરોમાં આજે સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે ભાજપ દ્વારા રાજયના 24 મોટા મંદિરોમાં સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ સફાઈ ઝૂંબેશમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં સફાઈ કરી છે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સુરતના અંબાજી મંદિરમાં સફાઈ કરવામાં આવી છે. આજે સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી સહિત મંદિરોમાં આજે સફાઈ હાથ ધરાશે. આ સફાઈ ઝૂંબેશમાં ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો અને સાંસદો જોડાશે.

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજકોટમાં બાલાજી મંદિર ખાતે ભગવાન કષ્ટભંજન દેવના દર્શન કરી શહેરના વિવિધ વોર્ડના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મહાનુભાવો સાથે રાજકોટ ખાતે આવેલા કરણસિંહ હાઈસ્કૂલના બાલાજી હનુમાન મંદિરના પરિસરની સફાઇ ઝૂંબેશની શરૂઆત કર્યા બાદ સફાઇ કામદારો સાથે સંવાદ કર્યો અને સ્વચ્છતા અભિયાનમાં તેમના સહયોગને બિરદાવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે હર્ષ સંઘવી, ગાંધીનગરના અક્ષરધામ ખાતે જગદીશ વિશ્વકર્મા, ઊંઝા ઉમિયા ધામ ખાતે ઋષિકેશ પટેલે સફાઈ કરી હતી.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંકલન સમિતિ સક્રિય : જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, અધિકારીઓને સમયમર્યાદામાં કાર્યવાહી કરવા સૂચના

ProudOfGujarat

નડિયાદ : મહેમદાવાદના ખાત્રજમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો.

ProudOfGujarat

ભરૂચી નાકા પાસે નાળા પર પ્રતિબંધ હોવા છતાં વાહન ચાલકોનો જોખમી શોર્ટકટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!