Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં ભારે વરસાદના કારણે 130 લોકોના મોત થયા, 39 તણાયા, 38 પર પડી વીજળી

Share

ભારે વરસાદના કારણે જાનહાની પણ લોકોને પહોંચી છે. રાજ્યમાં 130 લોકોના મોત વરસાદના કારણે થયા છે. જેમાં તણાઈ જવાથી સૌથી વધુ મૃત્યુ થયા છે. આ ઉપરાંત વીજળી પડવાથી તેમજ દિવાલ ધરાસાયી થવાથી પણ લોકોના મોતની ઘટનાઓ સામે આવી છે. ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુચ વરસાદ થતા મોટી જાનહાની થઈ છે.

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ધમાકેદાર શરુઆત કરતા મોટી મુશ્કેલીઓ પણ લોકો માટે સર્જાઈ છે. જૂનાગઢ સહીતના વિસ્તારમાં શનિવારથી આભ ફાટ્યા જેવી સ્થિતિ હતી તેવી જ નવસારી અને સુરત આસપાસના વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે મોટી મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડ્યો છે.

Advertisement

વરસાદમાં પુરમાં તણાતા 211 લોકોને ઈજા પહોંચી છે. કેટલાક વીડિયો સામે આવ્યા હતા જેમાં લોકો ભારે વરસાદમાં પાણીમાં તણાતા નજરે પડ્યા હતા. કેટલાકે તેમના ઘરોની છત પર દિવસ અને રાત પસાર કરવી પડી હતી તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી.

36 તણાઈ જવાથી, વીજળી પડવાથી 38 ના મોત, 211 લોકોને ઈજા પહોંચી, અસંખ્ય પશુઓના મોત


Share

Related posts

નડિયાદ : માલિકની જાણ બહાર લોખંડના સળિયા બારોબાર વેચી નાખ્યા પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી

ProudOfGujarat

રાજપીપલા ખાતે “નોંધારાના આધાર ” પ્રોજેક્ટનું કલેકટર નર્મદા દ્વારા સફળ પ્રેઝન્ટેશન.

ProudOfGujarat

અંકલેશ્વરના હજાત ગામની સીમમાંથી પસાર થતી ઓ.એન.જી.સી. ફુડ ઓઇલની ચાલુ પાઇપ લાઇનમાંથી ક્રુડ ઓઇલની ચોરી કરતી ટોળકી ઝડપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!