Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં ભારે વરસાદના કારણે 130 લોકોના મોત થયા, 39 તણાયા, 38 પર પડી વીજળી

Share

ભારે વરસાદના કારણે જાનહાની પણ લોકોને પહોંચી છે. રાજ્યમાં 130 લોકોના મોત વરસાદના કારણે થયા છે. જેમાં તણાઈ જવાથી સૌથી વધુ મૃત્યુ થયા છે. આ ઉપરાંત વીજળી પડવાથી તેમજ દિવાલ ધરાસાયી થવાથી પણ લોકોના મોતની ઘટનાઓ સામે આવી છે. ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુચ વરસાદ થતા મોટી જાનહાની થઈ છે.

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ધમાકેદાર શરુઆત કરતા મોટી મુશ્કેલીઓ પણ લોકો માટે સર્જાઈ છે. જૂનાગઢ સહીતના વિસ્તારમાં શનિવારથી આભ ફાટ્યા જેવી સ્થિતિ હતી તેવી જ નવસારી અને સુરત આસપાસના વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે મોટી મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડ્યો છે.

Advertisement

વરસાદમાં પુરમાં તણાતા 211 લોકોને ઈજા પહોંચી છે. કેટલાક વીડિયો સામે આવ્યા હતા જેમાં લોકો ભારે વરસાદમાં પાણીમાં તણાતા નજરે પડ્યા હતા. કેટલાકે તેમના ઘરોની છત પર દિવસ અને રાત પસાર કરવી પડી હતી તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી.

36 તણાઈ જવાથી, વીજળી પડવાથી 38 ના મોત, 211 લોકોને ઈજા પહોંચી, અસંખ્ય પશુઓના મોત


Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 19 થઇ જયારે કુલ સંખ્યા 352 પર પહોંચી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા પંચાયત ના સભ્યએ આગામી સામાન્ય સભામાં ગૌચરની જમીન કવોરી ની ખાણોના ધારાધોરણ વિગેરે બાબતના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે લેખિતમાં રજૂઆત કરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ શક્તિનાથ ખાતે ધરણા યોજી આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!