Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર તાલુકાના મોરકંડા ગામમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પેવર બ્લોકના વિકાસ કામનું ખાતમુહર્ત કરાયું

Share

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મોરકંડા ગામમાં પેવરબ્લોકના વિકાસ કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સંસદ સભ્યશ્રી રામભાઈ મોકરીયાની ગ્રાન્ટમાંથી જામનગર તાલુકામાં આવેલા મોરકંડા ગામમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર અને સ્મશાન ગૃહની આસપાસ રૂ.5 લાખના ખર્ચે નવા પેવરબ્લોક મુકવામાં આવશે.

કેબિનેટ મંત્રીના હસ્તે પેવરબ્લોકના વિકાસકાર્યનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રીએ ગ્રામસભા ભરી હતી, અને ગ્રામજનોની સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં, આગેવાન મુકુંદભાઈ સભાયા, દિનેશભાઈ પરમાર, મનજીભાઈ કટેશીયા, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળાનાં હરસિદ્ધિ માતાના મંદિરે સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતનાં 225 યુવાનો તલવાર મહાઆરતી કરશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ખાસ સભા 23 મેના રોજ યોજાશે : જિલ્લા તેમજ તમામ તાલુકા પંચાયતોમાં 23 અને 25 મે દરમિયાન ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે

ProudOfGujarat

ગોધરા ખાતે મહિલા કૃષિ દિવસની ઉજવણીના ભાગરુપે મહિલાઓએ ઇજનેરી કોલેજ અને મકાઇ સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!