Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર તાલુકાના મોરકંડા ગામમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પેવર બ્લોકના વિકાસ કામનું ખાતમુહર્ત કરાયું

Share

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મોરકંડા ગામમાં પેવરબ્લોકના વિકાસ કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સંસદ સભ્યશ્રી રામભાઈ મોકરીયાની ગ્રાન્ટમાંથી જામનગર તાલુકામાં આવેલા મોરકંડા ગામમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર અને સ્મશાન ગૃહની આસપાસ રૂ.5 લાખના ખર્ચે નવા પેવરબ્લોક મુકવામાં આવશે.

કેબિનેટ મંત્રીના હસ્તે પેવરબ્લોકના વિકાસકાર્યનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રીએ ગ્રામસભા ભરી હતી, અને ગ્રામજનોની સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં, આગેવાન મુકુંદભાઈ સભાયા, દિનેશભાઈ પરમાર, મનજીભાઈ કટેશીયા, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા.

Advertisement

Share

Related posts

પાલેજ નગરમાં ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા વિવિધ વિકાસના કાર્યો કરાયા

ProudOfGujarat

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મોહબી અને ઘોડી ગામની બહેનોને ડાંગર ઝૂડવાનું મશીનનું વિતરણ કરાયું.

ProudOfGujarat

સુરતમાં પ્રથમ વખત દરિયાઈ માર્ગે ચરસની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 4.79 કરોડનું 9.5 કિલો અફઘાની ચરસ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!