Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાશે નેશનલ લોક અદાલત.

Share

જામનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની તમામ કોર્ટમાં આગામી સમયમાં ફોજદારી સમાધાન પાત્ર કેસો માટે લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની તમામ કોર્ટમાં તારીખ 12 માર્ચ 2020 ના રોજ સમાધાન પાત્ર ફોજદારી કેસો જેમ કે વિડિયો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ ચેક રિટર્નના કેસ બેંક રિકવરીના દાવા એમ એસ સી પી ના કેસ લેબર તકરાર વીજળી અને પાણીના બિલ તેમજ લગ્ન વિષયક તકરારના કેસો કે કૌટુંબિક તકરારના કેસો જમીન સંપાદનના કહેશો સહિતના કેસો નાલસાના એક્શન પ્લાન મુજબ જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં મેગા લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ લોક અદાલતનો લાભ લેવા માટે તમામ પક્ષકારોને આ તકે જો તેઓના પેન્ડિંગ કેસોમાંમાંથી નિરાકરણ શક્ય હોય તો તેમનો કેસ લોક અદાલત મારફત મુકવા માટે અને સુખદ સમાધાન મેળવવા માટે પક્ષકારોને લોક અદાલતના માધ્યમથી ઝડપી ન્યાય મળી શકે તેવા હેતુથી જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જો કોઈને લોક અદાલત દ્વારા કેસમાં સુખદ સમાધાન મેળવવું હોય તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરવો એવું એક યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

ચીખલી તાલુકા પંચાયત માં સત્તા જાળવી રાખવા માં કોંગ્રેસ સફળ

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની કેએલજી કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો.

ProudOfGujarat

નડિયાદમાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકનુ મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!